ત્રીજની તિથીએ કોનું પૂજન કરવું ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વૈશાખ ત્રીજે ગૌરીશંકરની પૂજા કરવી. વ્રત જાગરણ કરી દાન આપવાથી ધન, પતિ, પુત્રી, વિદ્યા, સિધ્ધિ, યશ સર્વે પ્રાપ્તિ થાય છે. પૂર્વે લક્ષ્મી, રમા, માણિકી, પ્રભા, પાર્વતીએ આ વ્રત કરી શુલ, મીન, ધ્વજ, ધનુષ, ચક્ર, સ્વસ્તિકવાળા શ્રીહરિને પતિને મેળવ્યા. વૈશાખ ત્રીજે લક્ષ્મીનારાયણની પૂજા કરવી તથા પરશુરામ જન્મની પૂજા કરવી. જેઠ ત્રીજે રંભા ફળ ખાવું રંભાની પૂજા કરવી. અષાઢ ત્રીજે લક્ષ્મીએ તપ કર્યું. તેથી લક્ષ્મી-કેશવની પૂજા કરવી. શ્રાવણી ત્રીજે કાલી તપ કરી ગૌરી થયા. તેથી ગૌરીપૂજા કરવી. ભાદરવી ત્રીજે શંકર-પાર્વતીના લગ્ન થયા. તેથી શંકર-પાર્વતીનું પૂજન કરવું. ભાદરવા ત્રીજે મહિષાસુરને મારવા દુર્ગા કોટીશ્વરી થયા. તેનું પૂજન કરવું. આસો ત્રીજે ગૌરી પૂજન વ્રત કરવું. કાર્તિક ત્રીજે ગૌરીપૂજા કરે તો ગૌરીના લોકને પામે. માગશર ત્રીજે શંભુગૌરીનું વ્રત કરવાથી પતિ સુખ મળે. પોષ ત્રીજે બ્રહ્મગૌરી વ્રત કરવું, માઘ ત્રીજે લક્ષ્મી સૌભાગ્યવ્રત કરવું. ફાગણ ત્રીજે શંકરથી પાર્વતી પુત્ર પામ્યા તેથી ગૌરીપૂજા કરવી. સર્વે વ્રતોમાં સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન, દક્ષિણા આપવી તેથી પ્રભુની પ્રસન્નતા થાય.