ભાગ · અધ્યાય ૧૩૧

મત્સ્ય અવતાર પ્રાગટ્ય

લક્ષ્મી પૂછે : પ્રભુ, દૈત્યોનો વિષ્ણુ નાશ કરે છે ફરી પાછા ક્યાંથી થાય છે ? શ્રીનારાયણ કહે : પૂર્વે બ્રહ્માના મરીચી તેના કશ્યપ થયા. તે એકવાર સંધ્યા સમયે સમુદ્ર કાંઠે બેઠા હતા ત્યારે તેની પત્ની દિતીએ તે સમયે રજોગુણમાં આવી પતિ પાસે સંગની માંગણી કરી. કશ્યપે ના પાડવા છતાં માની નહીં. સંધ્યા સમયે ગર્ભદાન સમયે ત્યાં પાણીમાં જળઘોડા અવાજ કરતા હતા. તેથી દિતીને તે ગર્ભનો જન્મ થતા શરીર મગરનું, માથું ઘોડાનું, તે હયગ્રીવ દૈત્ય થયો. મોટો થઇ પિતામહ બ્રહ્મા પાસે ગયો. વેદ લાવો. બ્રહ્માએ ક્હ્યું - પુત્ર તું વેદ ભણીશ. દૈત્ય કહે : વેદ ભણાય નહીં, ભણાવાય નહીં, વિધિ-નિષેધ પાળવા પડે, યજ્ઞો કરવા પડે, ધર્મ કરવા પડે. બધું બંધ કરી વેદને સમુદ્રમાં લઇ ગયો. પૃથ્વી પર સત્કાર્યો બધા બંધ થયા ત્યારે શ્રીહરિએ મત્સ્યરૂપ ધારણ કરી હયગ્રીવ દૈત્યને મારી વેદને લાવી બ્રહ્માને આપ્યા. ત્યારે ફરીથી વેદની પ્રવૃત્તિ વિધિ-નિષેધ યજ્ઞો, પૂજન સર્વે સત્કાર્યો ચાલુ થયા.