ભાગ · અધ્યાય ૨૬૩

પુરુષોત્તમ માસની વદ પક્ષની કમલા એકાદશી - શાક્યયન વિપ્રની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પુરુષોત્તમ માસની વદ પક્ષની કમલા એકાદશીનો વ્રતવિધિ કહું. બ્રહ્મમુહૂર્તમાં જાગી શ્રીહરિનું ધ્યાન કરી, સ્નાન કરી, લક્ષ્મી સહિત પુરુષોત્તમ નારાયણની ષોડ્શોપચારથી પૂજા કરી. વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી, નૈવેધ ધરી, આરતી, ઉતારી, દંડવત, પ્રણામ, સ્તુતિ કરી, ધૂન-કિર્તન કરવા તથા પુરુષોત્તમ માસમાં પડવાથી પ્રભુની પાસે નિયમો લેવા. હજાર અથવા લાખ મંત્ર જપ કરવા. ઘરમાં જપ કરવાથી, નદીમાં જપ કરે તો બમણું ફળ મળે. ગૌશાળામાં હજારગણું, અગ્નિશાળામાં લાખગણું, તીર્થમાં તુલસી પાસે, સાધુ પાસે દશ લાખ ગણું. પુરુષોત્તમ સમીપે અનંતગણું ચાતુર્માસમાં જે નિયમો લેવાતા હોય તે નિયમો પુરુષોત્તમ માસમાં લેવા. ઘી-ગોળ, તેલ, સુગંધી તેલ, રાગ, ત્યાગ, મીઠો, ખારો, ખાટો, તીખો, કડવો, તુરો આ છ રસ ન લેવાના નિયમ લેવા. પતરાવાળીમાં જમવું, ફળફુલના નિયમ, દહીં-દૂધના નિયમો, એકટાણુ જમવું, કથા વાર્તા કરવી. મૌન રહેવું, શાકભાજી ન ખાવા, ગુરુની ચરણસેવા, મંદિરમાં નિત્ય દર્શન, દંડવત, પ્રદક્ષિણાના નિયમો લેવા, મંદિર ધોવું, વાળવું, લીંપવું, વાજિંત્રો સાથે ધૂન-કિર્તન નૃત્ય કરવા વગેરે નિયમો લેવા. તુલસીથી, પુષ્પોથી પુરુષોત્તમનું પૂજન કરવું, કાંસાના તાંબાના પાત્રમાં જમવું નહીં. પૃથ્વી પર સૂવું, વગેરે અનેક પ્રકારના નિયમો છે. તેમાંથી જેટલા નિયમો લેવાય તેટલા પ્રભુની ભક્તિ, પ્રસન્નતા માટે લેવા. તથા વ્રત-નિયમના સમયમાં અન્ન, જળ, વસ્ત્ર, સોનુ, ચાંદી, રૂપિયા ઘર વગેરેના દાન આપવા. વિષ્ણુ અને સાધુ આ બંને પુરુષોત્તમના સ્વરૂપો છે. તેથી ગુરુનું પૂજન કરી પ્રસન્ન કરવા. જે જે નિયમો લીધા હોય તે તે વસ્તુનું વ્રત કરવું અને અંતે દાન આપવું. કમલા એકાદશીનું વ્રત કરનારાને ત્યાં કમલા લક્ષ્મીનો વાસ થાય છે.

પૂર્વે હરિદ્વારમાં ગંગા કાંઠે શાક્યયન વિપ્ર રહેતો ભિક્ષા માગી નિર્વાહ કરતો. એકવાર વૃષ્ટિમાં ઘર તણાઇ ગયું. ચાલીને પ્રયાગરાજ તીર્થમાં આવ્યો. ભુખ-તરસથી પિડાતો હતો. ત્રિવેણીમાં સ્નાન કરી, ભારદ્વાજ ઋષિના આશ્રમે આવ્યો. ત્યાં પુરુષોત્તમ માસમાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથા મોક્ષ આપનારી ઋષિના મુખેથી સાંભળી. વિપ્રે ત્યાં વાસ કરી કમલા એકાદશીનું વ્રત કરી. કૃષ્ણનું સ્મરણ કરી જાગરણ કર્યું. બારસના બ્રહ્મમુહૂર્તમાં કમલા લક્ષ્મી આવી દિવ્ય દર્શન આપી કહે : વરદાન માંગ, વિપ્ર કહે : તમે કોણ છો ? લક્ષ્મી કહે : હું વૈકુંઠથી આવું છું. તે વ્રત કર્યું તેથી પુરુષોત્તમે મને મોકલી છે. એમ કહી શાક્યયન વિપ્રને મણિ આપી અદૃશ્ય થયા. તે મણિના પ્રતાપે વિપ્ર રોજ અનેક પ્રકારના દાન આપતો અને ઇન્દ્ર સમાન પ્રસિદ્ધિ પામ્યો. એક વખત બ્રહ્માના પુત્ર પુલસ્ત્યઋષિ મણિની કિર્તી સાંભળી શાક્યયન વિપ્ર પાસે આવીને મણિની માંગણી કરી. નિસ્પૃહ બ્રાહ્મણે મણિ આપી દીધો. પુલસ્ત્યઋષિ તે મણી લઇ સિંહલદ્વિપ (લંકા) ગયા. ત્યાં જઇ પૂરવન સર્વે સુવર્ણ બનાવી દીધા. પછી તે મણિ કુબેરને આપ્યો. રાવણ કુબેર પાસેથી તે મણિ લાવીને લંકા સુવર્ણની બનાવી. એ રીતે કમલા એકાદશીનું વ્રત કરનારને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસની કમલા એકદશીની કથા કોઇ કહેશે, સાંભળશે, તે પણ કમલા વ્રતને પામશે. શ્રીલક્ષ્મી કહે : હે નારાયણ, દુષ્ટ સ્વપ્નને નાશ કરનારી આ પવિત્ર કથા સાંભળી. હવે જે માસ સર્વે માસમાં ઉત્તમ છે, જે માસના અધિષ્ટાતા પુરુષોતમ છે, જે પુરુષોત્તમને દેવતાઓ પૃથ્વીમાં જન્મ ધારણ કરી પુજવા ઈચ્છા કરે છે.