ભાગ · અધ્યાય ૧૪૧–૧૬૦

શ્રીહરિ દ્વારા દેવતાયન ભક્ત પાસે મંદિર રચના-મૂર્તિપ્રતિષ્ઠા વર્ણન

આ અધ્યાય 141–160 સંયુક્ત છે

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ દેવાયતન ભક્તને મંદિરોની પ્રતિષ્ઠા ઉત્સવમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ મંદિરના - ગણેશાદિ મૂતિર્ના માપ, પ્રતિષ્ઠામાં વાસ્તુ પુરૂષ તથા તેના દેવોની સ્થાપના, મૂતિર્ પ્રતિષ્ઠામાં આચાર્યની વરણી, યજ્ઞ સામગ્રી પૂજન, ગણેશ પૂજન, કળશ સ્થાપન, પુણ્યાહ વાચન, માતૃકાદિ આવાહન, નાન્દિશ્રાદ્ધ, આસન, પૂજન, ભોજન, દક્ષિણા, દાન, વિસર્જન. પ્રતિષ્ઠા ઉત્સવમાં આચાર્ય ઋત્વિગ વરણ સંભાર પોક્ષણ સ્વસ્તિવાચન, મંડપપૂજા, વાસ્તુપૂજા દેવોનું આવાહન નમસ્કાર વગેરે. વાસ્તુપૂજન, પ્રતિષ્ઠાન પૂજન, વાસ્તુદેવોનું પૂજન, નૈવેદ્ય બલિ ત્રિસૂત્રથી મંડપ વેષ્ટન અને મંત્રો. ચોસઠ જોગણી, પચાસ ક્ષેત્રપાલ, મંડપના સોળ દેવોનું આવાહન અને પૂજન, તોરણ, કળશ, દ્વાર, શાખા, ડેલી વગેરેના દેવોનું ષોડ્શોપચારથી પૂજન, અગ્નિ સ્થાપન, કુંડદેવ, મેખલાદેવ, યોનિવહિન પૂજન, નવગ્રહ પૂજન, અધિ દેવતા પૂજન, પ્રતિ અધિદેવતા વાહન, લોકપાલ ત્રિદેવદેવી ગ્રહ આવાહન, ઘટસ્થાપન સર્વતોભદ્રમંડલ પૂજન, છપ્પન દેવોનું પૂજન દર્શન.

કળશદેવ, દ્વારપાલ પૂજન, વરણ પ્રોક્ષણ પાત્રો, ચરૂ, આજય, આહુતિ, વારણ, ગ્રહહોમ, લોકપાલ, દિકપાલો માટે હોમ, દેવ અધિદેવ હોમ, વાસ્તુદેવ હવન, યોગીનિ, હવનક્ષેત્ર, પાલહવન, માતૃકાહવન, વસુ આદિત્યરૂદ્ર, માતૃ, ગણપતિ, પિતામહ વિષ્ણુ લક્ષ્મી સૂર્યાદિહવન. રાધા રમા શ્રી માણિકી લક્ષ્મી સરસ્વતિ વગેરે છ મુખ્ય પ્રભુ પત્નિઓનું પૂજન તથા એકસો ચુમ્માલીશ પત્નીઓનું પૂજન તથા કંભરા સંતોકનું પૂજન તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણ, કૃષ્ણનારાયણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ તથા વ્યૂહ અવતારો વિષ્ણુ લોકપાલ ભૂતાદિપૂજા, બલિ પૂજન, ભોજન સમર્પણ. કુંભારો પણ તેના દેવોનું પૂજન, પ્રતિમાનું જલમાંવાસ, નગરયાત્રા, કળશ સ્થાપન, દિકપાલ બલિ, સુવર્ણ શલાકાથી નેત્રમાં અંજન, બહુઘટ સ્નાન, પત્રસ્નાન, પૂજન, આભૂષણ, નૈવેદ્ય, હોમ, પ્રણવન્યાસ, માતૃકાન્યાસ, નક્ષત્રન્યાસ, મૂતિર્માં માસઋતુ, યુગ, વર્ણ, વેદ, વસુ, દિક્પાલ, લોકપાલ, ક્ષેત્રપાલ, ભગવદ્ અવતાર, યજ્ઞ, અગ્નિ, હેતિભૂષણ, પ્રિયા, તત્ત્વ, મૂલમંત્ર, ગાયત્રી, બે અર્પણમંત્ર, પુરૂષસૂક્ત ન્યાસપૂજા, બલિ પ્રદાન, પૂર્ણાહુતિ, ન્યાસ, અધિવાસન, કુંભજલ, શિખરસ્નાન, ચરૂ શ્રવણ પ્રાસાદ, પુરૂષાકારતા, ધ્યાન, પૂજન, કુર્મશીલા, બ્રહ્મશીલા, પીંડીકા, રત્નાનિ દેવાર્ધ્ય. પીંડીકાનું સિંહાસનમાં સ્થાપન, પ્રાણપ્રતિષ્ઠા, ન્યાસ, આરતી, હોમ પૂર્ણાહુતિ હવન, આશીર્વાદ, સ્વસ્તિવાચન, દેવોની વિદાય, અવભૃથ સ્નાન, કળશ આરોહણ, માન સ્તંભ ધ્વજ આરોપણ, ચલમૂર્તિ પ્રતિષ્ઠા વિધિ, જીર્ણોધ્ધાર.

અનાદિશ્રીકૃષ્ણનારાયણના મુખેથી મંદિર રચનાની વાત સાંભળી દેવાયતન ભક્ત આશ્ચર્ય પામ્યા. પછી પ્રભુની પૂજા કરી આરતી કરી. શ્રીહરિની ઈચ્છાથી પોતે સ્વયં મંદિરરૂપે થયા અને બીજે રૂપે અનાદિશ્રીકૃષ્ણનારાયણની સેવામાં રહ્યાં. ઇન્દ્રે આવું મહામંદિર જોઇ આશ્ચર્ય પામી વિશ્વકર્માને બોલાવી સ્વર્ગમાં આવું મંદિર બનાવવાની આજ્ઞા કરી. વિશ્વકર્માએ કુંકુમવાપી આવી મંદિર જોઇને સ્વર્ગમાં જઇને હજાર કળશવાળું મંદિર કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિ છ પત્નીઓ સહિત પધરાવી મહોત્સવ કર્યો. તે જોવા સર્વલોકવાસી આવ્યા. ચૌદલોકનાવાસી કુંકુમવાપીનું મંદિર જોઇને આનંદ પામ્યા.